Wednesday, February 17, 2016

2. પર્યાવરણીય પ્રદુષણ એકમ કસોટી. બાળકો સમજી શકે તેવી ભાષામાં.

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

પ્રશ્નપત્ર: A
કુલ પ્રશ્નો: 31  /   કુલ ગુણ: 31
1.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
  • (A) કૉલેરા
  • (B) શરદી
  • (C) ન્યુમોનિયા
  • (D) ખાંસી
2.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
  • (A) ઉદ્યોગોના ધુમાડાથી
  • (B) વાહનોના ધુમાડાથી
  • (C) આપેલા ત્રણેય
  • (D) જંગલો કાપવાથી
3.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?
  • (A) વેસ્ટર્ન
  • (B) પોલીસ સ્ટેશન વેસ્ટ
  • (C) મેડિકલ વેસ્ટ
  • (D) ત્રણેય
4.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
  • (A) કૃત્રિમ સ્ત્રોતોના
  • (B) કુદરતી સ્ત્રોતોના
  • (C) માનવનિર્મિત સ્ત્રોતોના
  • (D) પશુનિર્મિત સ્ત્રોતોના
5.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
  • (A) CO2
  • (B) મિથેન
  • (C) CFC
  • (D) N2
6.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
  • (A) બહેરાશ આવે
  • (B) આપેલા ત્રણેય
  • (C) ચીડિયાપણું ઘટી જાય
  • (D) માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી નથી
7.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
  • (A) હવાનું
  • (B) જમીનનું
  • (C) ઘોંઘાટનું
  • (D) પાણીનું
8.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
  • (A) જમીનનું પ્રદૂષણ
  • (B) હવાનું પ્રદૂષણ
  • (C) ધ્વનિનું પ્રદૂષણ
  • (D) પાણીનું પ્રદૂષણ
9.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
  • (A) તાવ
  • (B) કૅન્સર
  • (C) દમ
  • (D) કમળો
10.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
  • (A) ક્ષય
  • (B) ન્યુમોનિયા
  • (C) શરદી
  • (D) કૉલેરા
11.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?
  • (A) ઠક્કર બાપાએ
  • (B) ગાંધીજીએ
  • (C) નારાયણ ગુરુએ
  • (D) રવિશંકર મહારાજે
12.જળપ્રદૂષણની અસર શું થાય છે ?
  • (A) જળચર પ્રાણીઓ વૃદ્ધિ પામે
  • (B) ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે
  • (C) જળપ્રદૂષણથી રોગ ન ફેલાય
  • (D) આપેલા ત્રણેય
13.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
  • (A) પ્લાસ્ટિકને રિસાઈકલ કરી ફરી ઉપયોગ કરવો
  • (B) આપેલા ત્રણેય
  • (C) ઉપજાઉ જમીન પર ઉદ્યોગ ન સ્થાપવો
  • (D) જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો
14.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
  • (A) નાઈટ્રોજન
  • (B) ઑક્સિજન
  • (C) હાઈડ્રોજન
  • (D) કાર્બન ડાયૉક્સાઇડ
15.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
  • (A) પ્લાસ્ટિક સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે
  • (B) પ્રદૂષિત જમીનમાં ઉગતા પાક પ્રદૂષિત હોય
  • (C) હાડકાંના રોગો થાય
  • (D) આપેલા ત્રણેય
16.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
  • (A) નાઇટ્રસ ઑક્સાઇડ
  • (B) નાઈટ્રોજન
  • (C) ઓઝોન
  • (D) કાર્બન મોનૉક્સાઇડ
17.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
  • (A) કેરોસીન
  • (B) પેટ્રોલ
  • (C) ડીઝલ
  • (D) CNG
18.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
  • (A) રેલ ગાડીઓ
  • (B) ઉદ્યોગો
  • (C) પક્ષીઓ
  • (D) પશુઓ
19.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
  • (A) ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું
  • (B) પાણીનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવો
  • (C) આપેલા ત્રણેય
  • (D) સરકારે ઉદ્યોગો ઉપર નિયંત્રણ રાખવું નહીં
20.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
  • (A) જમીનનું પ્રદૂષણ
  • (B) હવાનું પ્રદૂષણ
  • (C) ધ્વનિનું પ્રદૂષણ
  • (D) પાણીનું પ્રદૂષણ
21.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
  • (A) ઑક્સિજન
  • (B) નાઇટ્રસ ઑક્સાઇડ
  • (C) નાઈટ્રોજન
  • (D) કાર્બન ડાયૉક્સાઇડ
22.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
  • (A) ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય
  • (B) ઉડતા ધૂળના રજકણોથી હવા શુદ્ધ થાય
  • (C) આપેલા ત્રણેય
  • (D) ઝેરી વાયુથી ઍસિડ વરસાદ ન થાય
23.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
  • (A) ઝાડા-ઊલટી
  • (B) કમળો
  • (C) કૅન્સર
  • (D) દમ
24.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
  • (A) જમીનનું પ્રદૂષણ
  • (B) ધ્વનિનું પ્રદૂષણ
  • (C) હવાનું પ્રદૂષણ
  • (D) પાણીનું પ્રદૂષણ
25.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
  • (A) કાપડ
  • (B) પ્લાસ્ટિક
  • (C) પાંદડાં
  • (D) લાકડું
26.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
  • (A) વરસાદ સાથે ઉદ્યોગના ધુમાડા ભળતા
  • (B) ઉદ્યોગોનું ગંદુ પાણી જળાશયમાં ઠાલવતા
  • (C) જમીન પરનું ગંદુ પાણી ભૂગર્ભજળ સાથે ભળતા
  • (D) શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા
27.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
  • (A) વાહનોમાં P.U.C.નો કડક અમલ કરવો
  • (B) ફટાકડા ન ફોડવા
  • (C) આપેલા ત્રણેય
  • (D) રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા
28.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
  • (A) ઉદ્યોગોનું પાણી જમીન પર છોડી દેતા
  • (B) રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ
  • (C) પ્લાસ્ટિક જમીન પર ફેંકી દેતા
  • (D) આપેલા ત્રણેય
29.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
  • (A) કારખાનામાં ચાલતા યંત્રોથી
  • (B) મોટા લાઉડસ્પીકરો ન વગાડવાથી
  • (C) આપેલા ત્રણેય
  • (D) ફટાકડા ન ફોડવાથી
30.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
  • (A) હવા
  • (B) જમીન
  • (C) જસત
  • (D) પાણી
31.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
  • (A) આપેલા ત્રણેય
  • (B) પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું
  • (C) વાહનોમાં P.U.C.નો અમલ ન કરવો
  • (D) ઝેરી ગૅસ ઉત્પન્ન થાય તેવા સાધનો વિકસાવવા
*****

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

જવાબો - પ્રશ્નપત્ર : A
કુલ પ્રશ્નો: 31  /   કુલ ગુણ: 31
  • (  1) A
  • (  2) C
  • (  3) C
  • (  4) B
  • (  5) C
  • (  6) A
  • (  7) D
  • (  8) C
  • (  9) D
  • (10) A
  • (11) B
  • (12) B
  • (13) B
  • (14) D
  • (15) D
  • (16) A
  • (17) D
  • (18) B
  • (19) A
  • (20) A
  • (21) D
  • (22) A
  • (23) D
  • (24) D
  • (25) B
  • (26) D
  • (27) C
  • (28) D
  • (29) A
  • (30) C
  • (31) B

No comments:

Post a Comment