Tuesday, February 16, 2016

41 PRASHNO NI EKAM KASOTI. DIRECT CLASS MA UPYOG KARI BALAKO NE REVISION KARAVI SHAKAY. JAVABO SAATHE TAIYAR KAREL CHHE. BALAKO SAMAJI SHAKE TEVI BHASHAMA.

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

પ્રશ્નપત્ર: A
કુલ પ્રશ્નો: 41  /   કુલ ગુણ: 41
1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
    જવાબ: રાજા રામમોહનરાય
2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
    જવાબ: સંવાદકૌમુદી
3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
    જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
    જવાબ: મિરાત-ઉલ-અખબાર
5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
    જવાબ: સ્વામી વિરજાનંદ
6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
    જવાબ: સત્યાર્થ પ્રકાશ
7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
    જવાબ: દયાનંદ સરસ્વતી
8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
    જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે
9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
    જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
    જવાબ: નરેદ્રનાથ
11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
    જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
    જવાબ: શિકાગો
13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
    જવાબ: સ્વામી વિવેકાનંદ
14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
    જવાબ: વહાબી
15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
    જવાબ: સર સૈયદ અહમદખાને
16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
    જવાબ: ખાલસા કૉલેજ
17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
    જવાબ: બહેરામજી મલબારીના
18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
    જવાબ: જ્યોતિબા ફૂલેએ
19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
    જવાબ: જ્યોતિબા ફૂલે
20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
    જવાબ: ઠક્કર બાપાએ
21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
    જવાબ: ઠક્કર બાપાએ
22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
    જવાબ: રાજા રામમોહનરાય
23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
    જવાબ: ઈ.સ. 1772માં
24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
    જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
    જવાબ: ભાભીની સતી થવાની
26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
    જવાબ: હિંદુ કૉલેજની
27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
    જવાબ: ઈ.સ. 1829માં
28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
    જવાબ: દિલ્લીના બાદશાહના
29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
    જવાબ: ઈ.સ. 1833માં
30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
    જવાબ: બ્રિસ્ટોલ મુકામે
31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
    જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં
32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
    જવાબ: 15
33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
    જવાબ: શુદ્ધિ ચળવળ
34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
    જવાબ: વેદો તરફ પાછા વળો
35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
    જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં
36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
    જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
    જવાબ: વડોદરા
38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
    જવાબ: તહઝિબ-ઉલ-અખલાક
39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
    જવાબ: ભાવનગર
40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
    જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન
41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
    જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
*****
 આપના સૂચનો આવકાર્ય છે.....

આશિષ પટેલ...
એમ.એ.બી..એડ. (અંગ્રેજી)

No comments:

Post a Comment