Saturday, March 5, 2016

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

પ્રશ્નપત્ર: A
કુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72
1.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
  • (A) યુ.એસ.એ. માં
  • (B) ભારતમાં
  • (C) રશિયામાં
  • (D) યુરોપમાં
2.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
  • (A) 'જન ગણ મન...'
  • (B) 'સોનાર બંગલા'
  • (C) 'વંદે માતરમ્'
  • (D) 'ઝંડા ઊંચા રહે હમારા'
3.સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?
  • (A) 'ઇન્કલાબ ઝિંદાબાદ'
  • (B) 'ચલો દિલ્લી'
  • (C) 'વંદે ભારત'
  • (D) 'જય હિંદ'
4.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
  • (A) લોકશાહીની
  • (B) સમાનતાની
  • (C) સમાજવાદની
  • (D) સ્વતંત્રતાની
5.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
  • (A) ગોપાલકૃષ્ણ ગોખલે
  • (B) લોકમાન્ય ટિળક
  • (C) બિપિનચંદ્ર પાલ
  • (D) લાલા લજપતરાય
6.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
  • (A) યંગ ઇન્ડિયા
  • (B) ફોરવર્ડ બ્લૉક
  • (C) સ્વરાજ્ય પક્ષ
  • (D) ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા
7.આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?
  • (A) સ્વરાજ્ય
  • (B) સુરાજ્ય
  • (C) સમરસરાજય
  • (D) સમરાજ્ય
8.આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?
  • (A) ગોપાલકૃષ્ણ ગોખલે
  • (B) દાદાભાઈ નવરોજી
  • (C) સુરેન્દ્રનાથ બેનરજી
  • (D) લોકમાન્ય ટિળક
9.અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો ?
  • (A) બિપિનચંદ્ર પાલ
  • (B) સુરેન્દ્રનાથ બેનરજી
  • (C) લાલા લજપતરાય
  • (D) ગોપાલકૃષ્ણ ગોખલે
10.હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?
  • (A) અહેવાલો પરનાં
  • (B) અરજીઓ પરનાં
  • (C) અખબારો પરનાં
  • (D) એખલાસ પરનાં
11.'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?
  • (A) લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ
  • (B) લાલા હરદયાળ, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ
  • (C) લાલા હરદયાળ, બાળ ગંગાધર, જતિનચંદ્ર પાલ
  • (D) લાલા લજપતરાય, બાળ ગંગાધર, જતિનચંદ્ર પાલ
12.'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
  • (A) ચેન્નાઈમાં
  • (B) મુંબઈમાં
  • (C) કોલકાતામાં
  • (D) પૂણેમાં
13.ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?
  • (A) જવાબદાર લોકો અને ગૃહસ્વરાજ્ય
  • (B) જવાબદાર રાજા અને વિદેશીરાજ્ય
  • (C) જવાબદાર ભાષા અને ગૃહસ્વરાજ્ય
  • (D) જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય
14.સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?
  • (A) બર્લિનમાં
  • (B) રંગૂનમાં
  • (C) ટોકિયોમાં
  • (D) સિંગાપુરમાં
15.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
  • (A) ગૃહઉદ્યોગોને સજીવન કરવા.
  • (B) ખેડૂતોને દેવામાં રાહત આપવી.
  • (C) સરકારી નોકરીમાં હિંદિઓની સંખ્યા વધારવી.
  • (D) અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.
16.જહાલવાદ એટલે શું ?
  • (A) સ્વદેશી માલનો વિરોધ કરનારા.
  • (B) ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.
  • (C) બ્રિટિશરોને સાચા માનનારા.
  • (D) નરમ કાર્યશૈલીમાં માનનારા.
17.લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
  • (A) હિંદુ
  • (B) મુસ્લિમ
  • (C) પારસી
  • (D) શીખ
18.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
  • (A) ઈ.સ. 1909માં
  • (B) ઈ.સ. 1911માં
  • (C) ઈ.સ. 1905માં
  • (D) ઈ.સ. 1906માં
19.હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • (A) ઈ.સ. 1888માં
  • (B) ઈ.સ. 1890માં
  • (C) ઈ.સ. 1885માં
  • (D) ઈ.સ. 1895માં
20.'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
  • (A) જાપાનની સરકારે
  • (B) કૅપ્ટન મોહનસિંગે
  • (C) સુભાષચંદ્ર બોઝે
  • (D) રાસબિહારી બોઝે
21.બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • (A) બંગભંગ આંદોલન
  • (B) મીઠાભંગ આંદોલન
  • (C) રંગભંગ આંદોલન
  • (D) અંગભંગ આંદોલન
22.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
  • (A) વ્યોમેશચન્દ્ર બેનરજી
  • (B) દાદાભાઈ નવરોજી
  • (C) બદરુદ્દીન તૈયબજી
  • (D) સુરેન્દ્રનાથ બેનરજી
23.લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
  • (A) કેસરી
  • (B) પંજાબી
  • (C) વંદેમાતરમ્
  • (D) મરાઠા
24.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?
  • (A) ઇંગ્લૅન્ડની
  • (B) રશિયાની
  • (C) ફ્રાન્સની
  • (D) યૂ.એસ.એ.ની
25.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતું ?
  • (A) ઝાંસીની રાણી
  • (B) લક્ષ્મીબાઈ
  • (C) જોધા બાઈ
  • (D) ઝામ રાણી
26.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?
  • (A) 78
  • (B) 80
  • (C) 72
  • (D) 75
27.અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?
  • (A) ઈ.સ. 1906માં
  • (B) ઈ.સ. 1905માં
  • (C) ઈ.સ. 1895માં
  • (D) ઈ.સ. 1911માં
28.બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?
  • (A) 205, 350
  • (B) 35, 300
  • (C) 25, 300
  • (D) 25, 350
29.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
  • (A) જાપાનની સરકારે
  • (B) સુભાષચંદ્ર બોઝે
  • (C) રાસબિહારી બોઝે
  • (D) કૅપ્ટન મોહનસિંગે
30.જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?
  • (A) રાસબિહારી બોઝને
  • (B) ચંદ્રશેખર આઝાદને
  • (C) લાલા લજપતરાયને
  • (D) સુભાષચંદ્ર બોઝને
31.ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં ભર્યાં ?
  • (A) કોલકાતામાં
  • (B) મુંબઈમં
  • (C) લખનૌમાં
  • (D) સુરતમાં
32.સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?
  • (A) અંગ્રેજોની ગોળીથી
  • (B) વિમાન દુર્ઘટનાથી
  • (C) પોતાની ગોળીથી
  • (D) ટ્રક અકસ્માતથી
33.ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
  • (A) બાળ ગંગાધર ટીળકે
  • (B) લજપતરાયે
  • (C) બિપિનચંદ્ર પાલે
  • (D) ઍની બેસન્ટે
34.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
  • (A) રવીન્દ્રનાથા ટાગોરે
  • (B) સુભાષચંદ્ર બોઝે
  • (C) અવનીન્દ્રનાથ ટાગોરે
  • (D) કેદારનાથ ટાગોરે
35.ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી ?
  • (A) ઇંગ્લૅન્ડમાં ઉત્પન્ન થયેલા
  • (B) હિંદમાં ઉત્પન્ન થયેલા
  • (C) અમેરિમાં ઉત્પન્ન થયેલા
  • (D) પોર્ટુગલમાં ઉત્પન્ન થયેલા
36.અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
  • (A) ફ્રાંસ
  • (B) અમેરિકા
  • (C) ઇંગ્લૅન્ડ
  • (D) જર્મની
37.'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
  • (A) ચેન્નાઈમાં
  • (B) પૂણેમાં
  • (C) મુંબઈમાં
  • (D) કોલકાતામાં
38.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
  • (A) વ્યોમેશચન્દ્ર બેનરજી
  • (B) બિપિનચંદ્ર પાલ
  • (C) લાલા લજપતરાય
  • (D) લોકમાન્ય ટિળક
39.હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?
  • (A) બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો
  • (B) ગેરબંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો
  • (C) ભાઈચારા દ્વારા ગૃહસ્વરાજ્ય મેળવવાનો
  • (D) ઝઘડા દ્વારા ગૃહસ્વરાજ્ય મેળવવાનો
40.સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?
  • (A) 11
  • (B) 8
  • (C) 3
  • (D) 12
41.મવાળવાદ એટલે શું ?
  • (A) સ્વદેશી માલનો વિરોધ કરનારા.
  • (B) બ્રિટિશરોને સાચા માનનારા.
  • (C) ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.
  • (D) નરમ કાર્યશૈલીમાં માનનારા.
42.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
  • (A) સરદાર
  • (B) સેનાપતિ
  • (C) નેતાજી
  • (D) કૅપ્ટન
43.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
  • (A) સર ચાર્લ્સ વુડના
  • (B) લૉર્ડ મેયોના
  • (C) એ. ઓ. હ્યુમના
  • (D) લૉર્ડ મૅકોલેના
44.ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
  • (A) બાળ ગંગાધર ટીળકે
  • (B) લજપતરાયે
  • (C) ઍની બેસન્ટે
  • (D) બિપિનચંદ્ર પાલે
45.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
  • (A) દાદાભાઈ નવરોજીએ
  • (B) લોકમાન્ય ટિળકે
  • (C) ગોપાલકૃષ્ણ ગોખલેએ
  • (D) મહાત્મા ગાંધીએ
46.'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
  • (A) ચેન્નાઈમાં
  • (B) કોલકાતામાં
  • (C) પૂણેમાં
  • (D) મુંબઈમાં
47.'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
  • (A) ચેન્નાઈમાં
  • (B) મુંબઈમાં
  • (C) પૂણેમાં
  • (D) કોલકાતામાં
48.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
  • (A) કટકમાં
  • (B) અમૃતસરમાં
  • (C) રામગિરિમાં
  • (D) ભુવનેશ્વરમાં
49.બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?
  • (A) સ્વદેશી માલનો વેપાર કરવો.
  • (B) વિદેશી માલનો બહિષ્કાર
  • (C) રાષ્ટ્રીય શિક્ષણ લેવું
  • (D) આપેલા ત્રણેય
50.સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
  • (A) પદ્માવતી
  • (B) મહાપ્રજાપતી
  • (C) પ્રભાવતી
  • (D) માયાવતી
51.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
  • (A) મહેસૂલ નીતિ
  • (B) આર્થિક નીતિ
  • (C) રાજકીય નીતિ
  • (D) ધાર્મિક નીતિ
52.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
  • (A) આનંદમઠ
  • (B) જ્યોતિમઠ
  • (C) ગીતાંજલિ
  • (D) સુંદરમઠ
53.સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?
  • (A) 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'
  • (B) 'હું માતૃભૂમિની ગુલામીની ઝંઝીરો તોડીને જ રહીશ.'
  • (C) 'હું ભારતમાંથી બ્રિટિશ સરકારને ભગાડીને જ રહીશ.'
  • (D) 'હું આઝાદી મેળવવા તમામ પ્રયત્નો કરીશ.'
54.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
  • (A) લૉર્ડ લિટને
  • (B) લૉર્ડ રિપને
  • (C) લૉર્ડ કૅનિંગે
  • (D) લૉર્ડ કર્ઝને
55.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
  • (A) ફિરોજશાહ મહેતા
  • (B) બિપિનચંદ્ર પાલ
  • (C) લાલા લજપતરાય
  • (D) શ્યામજી કૃષ્ણ વર્મા
56.'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
  • (A) ચેન્નાઈમાં
  • (B) કોલકાતામાં
  • (C) મુંબઈમાં
  • (D) પૂણેમાં
57.ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?
  • (A) ઇ.સ. 1853ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ
  • (B) ઇ.સ. 1856ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ
  • (C) ઇ.સ. 1851ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ
  • (D) ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ
58.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
  • (A) 'ઇન્કલાબ ઝિંદાબાદ'
  • (B) 'વંદે ભારત'
  • (C) 'ચલો દિલ્લી'
  • (D) 'જય હિંદ'
59.લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
  • (A) કેસરી
  • (B) મરાઠા
  • (C) પંજાબી
  • (D) વંદેમાતરમ્
60.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
  • (A) ઈ.સ. 1897માં
  • (B) ઈ.સ. 1903માં
  • (C) ઈ.સ. 1887માં
  • (D) ઈ.સ. 1905માં
61.લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?
  • (A) ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ
  • (B) દિવાળી અને નવરાત્રી
  • (C) જન્માષ્ટમી અને હનુમાન જયંતિ
  • (D) ગણેશ ચતુર્થી અને નવરાત્રી
62.આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
  • (A) સૈનિકો મરવાના અને ભારે વરસાદને કારણે
  • (B) પુરવઠાની તંગી અને લોકોની નાકામી કારણે
  • (C) પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે
  • (D) સૈનિકો મરવાના અને લોકોની નાકામી કારણે
63.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
  • (A) લાલા લજપતરાય
  • (B) પંડિત ગોવિંદ વલ્લભ પંતનુમ્
  • (C) બિપિનચંદ્ર પાલ
  • (D) બાળ ગંગાધર ટિળક
64.બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?
  • (A) કેસરી અને મરાઠા
  • (B) પંજાબી અને મરાઠા
  • (C) ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્
  • (D) ધી પંજાબી અને ધી પ્યુપિલ
65.ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા ?
  • (A) સુભાષચંદ્ર બોઝ
  • (B) મોતીલાલ નહેરુ
  • (C) ગાંધીજી
  • (D) જવાહરલાલ નહેરુ
66.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
  • (A) યુ.એસ.એ.
  • (B) જાપાન
  • (C) જર્મની
  • (D) ઇંગ્લૅન્ડ
67.સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
  • (A) જનકનાથ
  • (B) જશવંતનાથ
  • (C) જાનકીનાથ
  • (D) જયદત્તનાથ
68.લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?
  • (A) કેસરી અને મરાઠા
  • (B) ધી પંજાબી અને ધી પ્યુપિલ
  • (C) પંજાબી અને મરાઠા
  • (D) મરાઠા અને વંદેમાતરમ્
69.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?
  • (A) 2
  • (B) 3
  • (C) 4
  • (D) 5
70.'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?
  • (A) ઈ.સ. 1909માં
  • (B) ઈ.સ. 1906માં
  • (C) ઈ.સ. 1905માં
  • (D) ઈ.સ. 1911માં
71.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
  • (A) 'શોકદિન'
  • (B) 'સ્વાતંત્ર્યદિન'
  • (C) વિરોધદિન'
  • (D) 'રાષ્ટ્રીયદિન'
72.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
  • (A) મૅક્સર મૂલરે
  • (B) ફર્ગ્યુસને
  • (C) કનિંગહામે
  • (D) વિલિયમ હામે
*****

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

જવાબો - પ્રશ્નપત્ર : A
કુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72
  • (  1) D
  • (  2) C
  • (  3) D
  • (  4) A
  • (  5) A
  • (  6) B
  • (  7) A
  • (  8) D
  • (  9) A
  • (10) C
  • (11) A
  • (12) B
  • (13) D
  • (14) D
  • (15) D
  • (16) B
  • (17) B
  • (18) C
  • (19) C
  • (20) C
  • (21) A
  • (22) A
  • (23) D
  • (24) C
  • (25) A
  • (26) C
  • (27) D
  • (28) C
  • (29) D
  • (30) A
  • (31) C
  • (32) B
  • (33) D
  • (34) A
  • (35) B
  • (36) C
  • (37) D
  • (38) D
  • (39) A
  • (40) A
  • (41) D
  • (42) C
  • (43) C
  • (44) A
  • (45) B
  • (46) C
  • (47) A
  • (48) A
  • (49) D
  • (50) C
  • (51) B
  • (52) A
  • (53) A
  • (54) D
  • (55) C
  • (56) B
  • (57) D
  • (58) C
  • (59) A
  • (60) A
  • (61) A
  • (62) C
  • (63) A
  • (64) C
  • (65) A
  • (66) B
  • (67) C
  • (68) B
  • (69) C
  • (70) B
  • (71) A
  • (72) C

No comments:

Post a Comment